‘રબારી -ભરવાડ સમાજનાં વિદ્યાર્થીઓ માટે બલિદાન આપું છું ‘ કહીને કર્યું આ કામ… તમે પણ ચોંકી જશો..

જૂનાગઢનાં કેશોદમાં પાણી પુરવઠા ઓફિસનાં પટાવાળાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. કરસનભાઈ ચાવડાની લાશ પુરવઠા ઓફિસની અગાસી પરથી મળી આવી છે.

જન્માષ્ટમીની રજાઓ બાદ મંગળવારે સરકારી ઓફિસો ખૂલી હતી. ત્યારે પુરવઠા વિભાગની ઓફિસ ખોલતાંતેમાં અતિ દુગઁધ આવી હતી. તપાસ કરતાં અગાસી પર લાશ જોવા મળી હતી.

તપાસ કરતાં મૃતકની પાસેથી સ્યૂસાઈડ નોટ મળી હતી. તેમાં લખ્યું હતું કે, ‘મારા ધરના અને ઓફિસ વાળાઓને હેરાન કરતાં રબારી, ભરવાડ, સમાજનાં તેમનાં વિધાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી,ચારણ સમાજ માટે બલિદાન આપું છું.’

હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે,આ હત્યા છે કે આત્મહત્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.