સલમાન ખાન કરે છે રોજ આલ્કોહોલનું સેવન. જાણીતા ડિરેક્ટરે જણાવ્યું ભાઈનું રહસ્ય.

જાણીતા ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માએ વર્તમાનમાં જ સલમાન ખાન વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. અનિલ શર્મા ‘ગદર 2’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે જે 11મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે. હાલના એક ઈન્ટરવ્યુમાં અનિલે જણાવ્યું કે તેણે સલમાન ખાન સાથે 2010માં આવેલી ફિલ્મ ‘વીર’માં કામ કર્યું હતું. અનિલે ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન સાથે કામ કરવાનો પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો હતો.

અનિલ કહે છે, ‘ખાન સાહબ સાથે ખૂબ જ મજા આવી,ઘણા લોકો કહે છે કે તે શરાબી છે અને ઘણીવાર પાર્ટીઓમાં પણ જાય છે, આ બધા ખોટા દાવા છે. સલમાન અન્ય વ્યક્તિઓની જેમ જ સાંજે રિલેક્સ થવા માટે એક કે બે ડ્રિંક લે છે, પરંતુ તેમનું મન ફક્ત તેમના કામ પર જ હોય છે. અનિલ કહે છે, ‘સલમાન ખાન ગોસિપમાં પડવાનું કે કોઈના વિશે ખરાબ બોલવાનું પસંદ કરતા નથી. ડિરેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન સલમાન ખાનનું ધ્યાન માત્ર ફિલ્મી દ્રશ્યો, ગીતો અને ફિલ્મો સાથે જોડાયેલી વસ્તુઓ પર હતું.

અનિલ શર્માએ કહ્યું કે, ‘સલમાન ક્યારેય નહીં બોલે કે આ વ્યક્તિ ખરાબ છે કે તે વ્યક્તિ ખરાબ છે. જો હું ચાર કલાક સલમાન સાથે રવ તો તે આખા ચાર કલાક ફક્ત સીન, ગીતો અને ફિલ્મો વિશે જ વાત કરે છે. તેને ઘણા ગીતો, દ્રશ્યો અને ફિલ્મો યાદ પણ છે. તે એક લાઇબ્રેરી જેવા છે, તેને ફિલ્મોનું ‘ગુગલ’ પણ કહી શકાય. અનિલ શર્મા હાલમાં ‘ગદર 2’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર ગદરઃ એક પ્રેમ કથાની સિક્વલ છે. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં ભાગ ભજવતા જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.