સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે સંસદમાં રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો..

સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મંગળવારે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન ઇન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો. પ્રોફેસર રામ ગોપાલ યાદવે રીલ્સ બનાવનારાઓ પર ગુસ્સે થતા કહ્યું કે લોકો એવા કપડા પહેરે છે જેનાથી નજરો ઝુકી જાય છે. તેમણે કહ્યું કે કોઈ પણ સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝ્મ વધી જાય છે તો ઘણી સંસ્કૃતિઓ નાશ પામે છે. પ્રોફેસર યાદવે સરકારને આને રોકવા માટે પગલાં ભરવાની માંગ કરી અને જનસંઘના સમયથી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની સુરક્ષાનો નારો પણ યાદ કરાવ્યો.

તેમણે કહ્યું કે અમારા જમાનામાં છઠ્ઠા ધોરણથી અંગ્રેજી શીખવવામાં આવતું હતું. જ્યારે બાળક થોડું શીખી લેતા હતા, ત્યારે તેમને કહેવામાં આવતું હતું – ‘… કેરેક્ટર ઇઝ લોસ, એવરીથ લોસ.’ પ્રોફેસર રામ ગોપાલ યાદવે કહ્યું કે આજે સ્થિતિ એવી છે કે કેટલાક પ્લેટફોર્મ અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સનું નામ લેવા માંગીશ. સપા સાંસદે કહ્યું કે અનુમાન મુજબ આપણા યુવાનો ઇન્સ્ટાગ્રામ પર દરરોજ સરેરાશ ત્રણ કલાક રીલ્સ, ભદ્દી સીરિયલ્સ અને અશ્લીલ પ્રોગ્રામ જોવામાં વિતાવે છે.

પ્રોફેસર યાદવે કહ્યું કે સાથે બેસવાથી, સાથે જમવાથી પરિવારમાં જે પ્રેમ હોય છે તે આજે નથી. લોકો સાથે બેસી રહે છે પરંતુ તેમના ફોનમાં લાગી રહે છે. તેમણે કહ્યું કે દરરોજ આવા સમાચારો જોવા મળી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ પછી લગ્ન થયા, પછી છોકરાએ છોકરીની હત્યા કરી દીધી. આવી ઘટનાઓ બની રહી છે. પ્રોફેસર યાદવે ઓનલાઇન ક્લાસનો પણ ઉલ્લેખ કર્યો અને સરકારને ઇન્સ્ટાગ્રામ રીલ્સ, સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝ્મ વધારતા પ્લેટફોર્મ સામે પગલાં લેવાની માંગ કરી હતી.

ત્યારે મહારાષ્ટ્રના NCP સાંસદ ફૌજિયા ખાને ઓનલાઇન ગેમિંગની આદતને કારણે બાળકો પર થઈ રહેલી અસરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મહારાષ્ટ્રના પૂણેમાં એક બાળકની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કર્યો અને તેને લઈને નિયમન બનાવવાની માંગ કરી. અગાઉ પંજાબના આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ પણ સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવવાનો મુદ્દો ઉઠાવ્યો.

આમ આદમી પાર્ટીના સાંસદે રાજ્યસભામાં કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈ રોકટોક નથી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈ માટે પણ કંઈપણ લખાઈ રહ્યું છે. અહીં સુધી કે આપણા માનનીય પ્રધાનમંત્રી, નેતા વિપક્ષ માટે પણ. વિક્રમ્જીતે કહ્યું કે હમણાં થોડા દિવસો પહેલા જ સેનાના એક સિનિયર અધિકારી માટે એવું લખાયું હતું કે જે અમે ગૃહમાં બોલી પણ ન શકીએ. તેમણે કહ્યું કે આનાથી સમાજમાં ટેન્શન થઈ રહ્યું છે. એવા એકાઉન્ટ બંધ કરવામાં આવે. વિક્રમજીત સિંહે કહ્યું કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, પરંતુ લીબર્ટી પણ જરૂરી છે. તેમણે કહ્યું કે અમે આને લઈને પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પણ ગૃહમાં આપ્યું હતું. આને લઈને કાયદો બનાવવામાં આવવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.