સંજય દત્ત કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક જશે, અમેરિકાનાં 5 વર્ષનાં વિઝા મળ્યા

થોડા દિવસ પહેલા સંજય દત્તને પોતાની કેન્સરની બીમારી અંગે જાણ થઈ. હાલ તો તે પોતાની પ્રાથમિક સારવાર મુંબઈમાં જ કરાવી રહ્યા હતા. પણ હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, તે સારવાર માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે.

એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર, સંજય દત્તને કેન્સરની જાણ થતા જ તેણે અમેરિકાનાં વીઝા માટે અપ્લાય કરી દીધું હતું. જોકે, શરૂઆતમાં તેને ક્લિયરન્સ મળવામાં મુશ્કેલી આવી રહી હતી કારણ કે, તે 1993ના બ્લાસ્ટના દોષિતો પૈકીનો એક છે.

રિપોર્ટ્સ અનુસાર, તેના એક નજીકના દોસ્તે તેને મેડિકલ ગ્રાઉન્ડ્સ પર 5 વર્ષના વીઝા અપાવી દીધા છે. હવે આશા છે કે, તે પોતાની પત્ની માન્યતા અને બહેન પ્રિયા સાથે ન્યૂયૉર્ક જઈને કેન્સરની સારવાર કરાવશે.

સંજય દત્તની માતા નરગિસને પણ 1980-81માં કેન્સર થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તેમને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માત્ર તે જ નહીં ઋષિ કપૂર, મનીષા કોઈરાલા અને સોનાલી બેન્દ્રેએ પણ આ જ હોસ્પિટલમાં સારવાર કરાવી છે. સમાચાર એ પણ છે કે, જો અમેરિકા જવાનો પ્લાન સફળ નહીં થાય સંજય સિંગાપોર જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.