સરદાર સરોવર ડેમની સપાટી 131.04 મીટર, ત્રણ જિલ્લાના 52 ગામો એલર્ટ જાહેર કરાયા

વરસાદી સીઝન અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 131.04 મીટર પર પહોંચી ગઈ છે.

ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ડેમના 23 દરવાજા માંથી 8,13,599 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ છે.

ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના 52 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો વડોદરા અને ભરૂચમાં એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી માત્ર એક ફુટ દૂર છે. વોર્નિંગ લેવલ વટાવી બ્રિજની સપાટી 22.95 ફુટ છે. આ પરિસ્થિતિને જોતા 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.