સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેના પરચાઓ આજે પણ જોવા મળે છે એવા રાંદલ માતાજી ઇતિહાસ જાણો

આજે વાંચો સૌરાષ્ટ્રની ધરતી પર રાંદલમાતાજીના ચમત્કાર, તમારા હૃદયમાં બની રહેશે અતૂટ શ્રદ્ધા

આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને દેશની ઘણી જગ્યાઓએ ઘણા દેવી દેવતા હોવાના પરચાઓ આજે પણ મળતા આવ્યા છે. એવા જ એક દેવી રાંદલ માતાજીનો ઇતિહાસ પણ ખુબ જ ચમત્કારિક છે. તેમના પરચાઓ આજે પણ જગ વિખ્યાત છે. કોઈપણ શુભ પ્રસંગે રાંદલ માતાજીને તેડાવવાની વિધિ આજે પણ ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. તો ચાલો જાણીએ કાઠિયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ગોંડલની બાજુમાં આવેલા ગામ દડવામાં બિરાજેલા માતા રાંદલના ઇતિહાસ વિશે.

દડવા ગામમાં રાંદલ માતાજી બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. અને આજે પણ અહીંયા માતાજીના પરચાઓ જોવા મળે છે. ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજી પોતાના ભક્તોના દુઃખ દૂર કરતા હોવાના પુરાવા પણ આ ગામમાંથી મળે છે.

વર્ષો પહેલા એકવાર સૌરાષ્ટ્રના ગામમાં દુકાળ પડે છે. માલધારીઓ તેનાથી રક્ષણ મેળવવા માટે ટીમ્બામાં વસવાટ કરે છે ત્યારે એક નાની બાળકી ગામમાં પ્રવેશે છે અને તેમના પગલે અલૌકિક ચમત્કારો થવા લાગે છે. અપંગ, આંધળા અને કોઢથી પીડાતા લોકો સાજા સમા થઇ જાય છે. પરંતુ તે છતાં પણ કોઈ તેમને ઓળખી નથી શકતું, એ સાક્ષાત મા રાંદલ હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.