સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત,ગ્રામ્ય વિસ્તારમાં ભારે કહેર

ગુજરાત રાજ્યમાં કોરોના સામેની લડાઇ વધુ મજબૂત થતી જઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કડક પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે અને નવા કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. રાજ્યમાં મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે એક્ટિવ કેસ તથા ગંભીર દર્દીઓ પણ ઓછા થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 2900 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સોમનાથ, મોરબી, પોરબંદર જિલ્લામાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો થયો છે.

પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8394 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,770 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,33,004 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.