શાળા સંચાલકો બન્યા બેફામ:ફી નહિ ભરનારા વિદ્યાર્થીઓનુ શિક્ષણ બંઘ,સરકાર શાળા સંચાલકોના ઘુટણીયે ?

વડોદરામાં શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. શાળા સંચાલકોએ ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું.

વડોદરામાંશાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. શાળા સંચાલકોએ ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. સરકારની 25 ટકા ફી ઘટાડાની વાતને પણ શાળા સંચાલકોએ ફગાવી દીધી છે. ત્યારે આ શાળા સંચાલકો સામે સરકાર કડક પગલા ભરે તેવી લાઓ દ્વારા માગ કરવામાં આવી છે.

વાલીઓએ કહ્યું કે દાનમાં મેળવેલી જમીન પર શાળા સંચાલકો શાળા ચલાવી શિક્ષણ માફિયા બન્યા છે. શાળા સંચાલકો સામે સરકાર વમણી સાબિત થઇ છે. સરકારે કોર્ટમાં જઇને શાળા સંચાલકો સામે લડવું જોઇએ. સરકાર કંઇ નહીં કરે તો વાલીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.