શંકરસિંહ વાઘેલાનુ નિવેદન / રામ મંદિર બનશે તો બેરોજગારોને નોકરી, ભુખ્યાને રોટલી મળશે? રામ મંદિર નથી તો શું ફરક પડે છે

રાજપીપળા: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને NCP પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના કેવડિયામાં નર્મદા ડેમ,વિયર ડેમ અને 6 ગામના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.એમની સાથે પ્રફુલ્લ પંચાલ,સ્થાનિક આદિવાસી નેતા ડો.પ્રફુલ્લ વસાવા,રાજ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા.

ભાજપે અમદાવાદ એરપોર્ટના નામકરણનો વિરોધ કર્યો હતો

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે દેવગૌડા જ્યારે પીએમ હતા ત્યારે હવાઈ મથકનું અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદ્ઘાટન થયું હતું.તે સમયે અત્યારના ગવર્નર અને ભૂતપૂર્વ સીએમ આનંદી પટેલ ભાજપના આગેવાન હતા.હવે મહિલાઓ હોય તો સ્વાભાવિક છે કે પોલીસ વાળા ચેક ન કરે,ભાજપની મહિલાઓ કાળા કપડાં બ્લાઉઝમાં ભરાવીને દેવગૌડા સામે દેખાવો કરવા આવ્યા હતા.સરદારના નામ સાથે હવાઈ મથક જોડાયેલુ હતું એટલે કાળા કપડાં બતાવી વિરોધ કર્યો હતો.એમને સરદાર સામે પ્રેમ છે એવું માનશો નહીં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા આખા દેશમાંથી લોખંડ ભેગું કર્યું.ભેગો કરેલો એ ભંગાર ક્યાં છે એ પણ ખબર નથી.ઘણી વખત હું પૂછું છું કે લોખંડના ભંગાર માંથી તમેં સરદારને બનાવશો.આ મેક ઇન ઇન્ડિયા નથી માર્કેટિંગ છે.રામ મંદિર મુદ્દે જણાવ્યું હતું કે રામ મંદિર બનશે તો બેરોજગરોને નોકરી ભુખ્યાને રોટલી મળશે?રામ મંદિર નથી તો કોઈ મરી ગયું શુ ફરક પડે છે?જો મંદિર છે તો જ રામ ભક્ત છે એવું તો નથી.આ ફક્ત એક માર્કેટિંગ છે.હિન્દૂ-મુસ્લિમના નામે દેશને બે ભાગોમાં વેચવાનું ષડ્યંત્ર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.