શરદ પવારે યોજી બેઠક,વિપક્ષી દળના નેતાઓને અપાયું આમંત્રણ

NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 4 વાગે યોજાશે.

આ બેઠકમાં  યશવંત સિન્હા, પવન વર્મા, સંજય સિંહ, ડી. રાજા, ફારુક અબ્દુલ્લા, ન્યાયમૂર્તિ એ.પી, સિંહ, જાવેદ અખ્તર સામેલ થશે. આ સાથે કેટીએસ તુલસી, કરણ થાપર, આશુતોષ, અધિવક્તા મજીદ મેમન, સાંસદ વંદના ચૌહાણ, પૂર્વ સીઈસી એસ.વાઈ. કુરૈશી, કે.સી. સિંહ, સંજય ઝા, સુધીંદ્ર કુલકર્ણી અને કોલિજ ગોંજાલ્વિસ, અર્થશાસ્ત્રી અરુણ કુમાર, ઘનશ્યામ તિવારી, પ્રીતિશ નંદીને પણ આમંત્રણ અપાયું છે.

યશવંત સિન્હાએ ટ્વિટ કરીને બેઠકની જાણકારી આપી છે. લખ્યું છે કે મંગળવારે સાંજે 4 લાગે રાષ્ટ્રમંચની બેઠક થશે.

શરદ પવારના ઘરે આજે યોજાનારી બેઠકને લઈને પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેઓ આ બેઠકમાં સામેલ થશે નહી. તેઓએ કહ્યું કે મને નથી લાગતું કે કોઈ ત્રીજા કે ચોથા મોર્ચા ભાજપને સફળતા પૂર્વક ચેલેન્જ આપી શકે છે.

શરદ પવારના ઘરે આજે યોજાનારી બેઠકને લઈને પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેઓ આ બેઠકમાં સામેલ થશે નહી. તેઓએ કહ્યું કે મને નથી લાગતું કે કોઈ ત્રીજા કે ચોથા મોર્ચા ભાજપને સફળતા પૂર્વક ચેલેન્જ આપી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.