શિપ પર ફસાયેલા જાપાનના 119 અને ચીનના 76 ભારતીયને કોરોના વાયરસથી બચાવવા દિલ્હી લાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ જાપાનના યોકોહામા તટ પર અટકાવવામાં આવેલા જહાજ પર ફસાયેલા 119 ભારતીય અને પાંચ વિદેશી નાગરિકોને ગુરુવારે દિલ્હી લાવવામાં આવ્યા છે. આ સાથે ચીનના વુહાન શહેરમાં ગયેલુ ભારતીય વાયુસેનાનું વિમાન પણ પરત ફર્યું છે. તેમા 76 ભારતીય અને 36 વિદેશી નાગરિકને લાવવામાં આવ્યા છે. બન્ને વિમાનથી લાવવામાં આવેલા ભારતીયોને થર્મલ સ્ક્રીનિંગ બાદ ITBPની છાવણી સ્થિત ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

જાપાનથી લાવવામાં આવેલા પાંચ વિદેશી નાગરિકામાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુંનો નાગરિકનો સમાવેશ થાય છે. ભારત સરકારે લોકોને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે જાપાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. 3 ફેબ્રુઆરીથી ડાયમંડ પ્રિન્સેસ શિપને જાપાનના યોકોહામા પોર્ટ પર અટકાવવામાં આવ્યુ હતું. તેમા 138 ભારતીય ફસાયેલા હતા, જેમાં 16 કોરોના વાઈરસથી સંક્રમિત હતા.

વાયુસેનાના વિશેષ વિમાન C-17 ગ્લોબમાસ્ટર ચીનથી ગુરુવારે સવારે 6.45 વાગે દિલ્હી પહોંચ્યું. તેમાંથી પરત આવેલા 112 લોકોને થર્મલ સ્ક્રીનિંગ બાદ ITBPની છાવણી સ્થિત ઓબ્ઝર્વેશન સેન્ટમરાં રાખવામાં આવશે. વુહાનથી પરત ફરેલા 36 દિવેશી નાગરિકોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, ચીન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને મેડાગાસ્કરના નાગરિકનો સમાવેશ થાય છે.

બુધવારે હિંડન એરબેઝથી સેનાનું વિમાન વુહાન માટે ઉડ્ડાન ભરી હતી. વિમાનમાં 15 ટન ચિકિત્સા ઉપકરણ મોકલવામાં આવ્યા હતા. તેમા માસ્ક, ગ્લવ્ઝ અને અન્ય ઈમર્જન્સી ચિકિત્સા ઉપકરણ હતા. વિમાન 20 ફેબ્રુઆરીના રોજ ચીન જવાનું હતું, પણ મંજૂરી નહીં મળી શકી ન હતી. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ 25 ફેબ્રુઆરીના રોજ આ વિમાન માટે ચીન તરફથી મંજૂરી મળી હોવાની જાણકારી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.