શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ, દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ પૂરૂ કરી શકાય છે- pm મોદી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કૉન્ફરન્સમાં ભાગ લીધો. સરકાર તરફથી નવી શિક્ષણ નીતિનું એલાન કરવામાં આવ્યુ છે. જેના પર હજુ પણ મંથન ચાલુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા જ પૂરૂ કરી શકાય છે. પીએમે કહ્યુ કે શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ.

નવી શિક્ષણ નીતિ પર PM મોદીએ કહ્યુ કે આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી-શિક્ષક-અભિભાવક તમામ સામેલ હતા. વડાપ્રધાને કહ્યુ કે દરેકને આ નીતિ પોતાની લાગી રહી છે. જે સૂચન લોકો જોવા ઈચ્છતા હતા તે જોઈ રહ્યા છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને દેશમાં તેને લાગુ કરવાની રીત પર સંવાદ થઈ રહ્યો છે તે એટલા માટે જરૂરી છે કેમ કે આનાથી 21 મી સદીના ભારતનું નિર્માણ થવાનુ છે.

આ સંમેલન વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી. પીએમે પોતાના ટ્વીટમાં લખ્યુ, 7 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને આને પરિવર્તનકારી પ્રભાવ પર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિઓની સાથે એક સંમેલનમાં સામેલ રહેશે. આ સંમેલનમાં થનારા ઉદ્ધાર ભારતને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અમારા પ્રયાસોને મજબૂત કરશે.

સંબોધનમાં વડાપ્રધાને કહ્યુ કે આજે દુનિયામાં નોકરીઓને લઈને ચર્ચા થઈ રહી છે, એવામાં શિક્ષણ નીતિને જ્ઞાન અને સ્કિલ પર તૈયાર કરશે. આ નીતિ ન્યુ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના મિશનને પૂરુ કરશે. પીએમે કહ્યુ કે લાંબા સમયથી એ માગ ઉઠી રહી હતી કે બાળકો બેગ અને બોર્ડ એક્ઝામમાં દબાયેલા રહે છે. એવામાં હવે આ મુશ્કેલીને ઓછી કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યુ કે હવે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સ્ટ્રીમને ગમે ત્યારે પણ લઈ શકે છે ગમે ત્યારે અને છોડી શકે છે.

પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં જ શ્રેષ્ઠ કેમ્પસ હશે. જેનાથી બહાર ભણવા જવાનો પ્રયત્ન ઓછો થશે. સાથે જ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ઓનલાઈન ભણતરને પ્રોત્સાહન મળે. પીએમે કહ્યુ કે જેમ વિદેશ નીતિ કોઈ સરકારની ના હોઈને દેશની હોય છે, આ શિક્ષણ નીતિ પણ કોઈ સરકાર નથી પરંતુ દેશની શિક્ષણ નીતિ છે. વડાપ્રધાને કહ્યુ કે નવી શિક્ષણ નીતિ, ભણતરના બદલે શીખવા પર ફોકસ કરે છે અને અભ્યાસક્રમથી વધુ આગળ વધીને ગાઢ વિચાર પર જોર આપે છે. આ પોલિસીમા પ્રક્રિયાથી વધારે ઝૂનુન, વ્યાવહારિકતા અને પ્રદર્શન પર ભાર આપવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.