શિયાળામાં ઇમ્યૂનિટી વધારવા માટે ખાઓ આમળા

આમળા એક એવું સુપરફૂડ છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે. આમળાની ખાસ વાત એ છે કે તેને કેટલીય રીતે ખાઇ શકાય છે. કેટલાક લોકો આમળાનો મુરબ્બો ખાય છે, તો કેટલાક લોકો આમળાનો જ્યુસ, ચટણી અથવા અથાણું બનાવીને પોતાની પસંદ અનુસાર તેનું સેવન કરતા હોય છે. શિયાળામાં ગોળની સાથે આમળાનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાઇ રહે છે અને કેટલીય બીમારીઓથી દૂર પણ રહેવાય છે. શિયાળામાં આમળાનું સેવન કરવાથી ઇમ્યૂનિટી જળવાઇ રહે છે જેનાથી શરદી-ખાંસીથી બચી શકાય છે. જાણો, શિયાળામાં આમળા કેમ ખાવા જોઇએ?

ઇમ્યૂનિટી મજબૂત કરે છે

આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે. આ શરીરના ઇમ્યૂનિટી પાવરને મજબૂત કરવામાં મદદ કરે છે જેનાથી શરીર બહારના સંક્રમણથી બચી શકે છે.

હૃદય માટે ફાયદાકારક

આમળામાંથી મળી આવતું વિટામિન-સી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જે લોકો બેડ કૉલેસ્ટ્રોલની સમસ્યા સામે લડી રહ્યા છે, તેમણે આમળાનું સેવન કરવું જોઇએ.

સ્કિનને સુંદર બનાઓ

સ્કિનની સુંદરતા જાળવી રાખવા માટે પણ વિટામિન સી જરૂરી હોય છે. વિટામિન સીનું સેવન કરવાથી સ્કિન ટાઇટ રહે છે. ત્વચા પર જલ્દી કરચલીઓ પડતી નથી. સ્કિનમાં ગ્લો જળવાઇ રહે છે. તેના માટે તમે ઇચ્છો તો દહીંમાં આમળા પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

સોજો ઓછો થાય છે 

શરીરમાં રહેલ ફ્રી રેડિકલ્સ હાર્ટ અને સ્કિનની સાથે શરીરની ઇમ્યૂનિટી પર પણ ખરાબ અસર કરે છે. હકીકતમાં ફ્રી રેડિકલ્સ શરીરના સોજા માટે પણ જવાબદાર હોય છે, જે કેટલીય બધી બીમારીઓને જન્મ આપવાનું કામ કરે છે. પરંતુ આમળામાં રહેલ એન્ટીઑક્સીડેન્ટ્સ, ફ્રી રેડિકલ્સને ન્યૂટ્રલાઇઝ કરીને શરીરના સોજાને દૂર કરવામાં મદદ કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.