મફત રાશન લેનારાઓને આંચકો, સરકારે ઘટાડયો આ વસ્તુનો ક્વોટા; જાણો હવે તમને કેટલું મળશે?

જો તમે રાશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા દર મહિને ચલાવવામાં આવતી મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, તેલંગાણા સરકાર દ્વારા રાશન યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા રાશન કાર્ડ ધરાવતા તમામ 91.5 લાખ પરિવારોને મફત ચોખાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

ત્રણ મહિના માટે 5 કિલો ચોખા મળશે
રાજ્ય સરકારની નવી સિસ્ટમ હેઠળ લાભાર્થી પરિવારના દરેક સભ્યને આગામી ત્રણ મહિના (જાન્યુઆરીથી માર્ચ) માટે 5 કિલો મળશે. ચોખા આપવામાં આવશે. એટલે કે, દર મહિને એક કિલો ચોખા ઓછા આપવામાં આવશે હકીકતમાં લાભાર્થીને 6 કિલો ચોખા આપવાની જોગવાઈ છે અને આ નિયમ હેઠળ એપ્રિલ મહિનાથી 6 કિલો ચોખાનો સપ્લાય શરૂ કરવામાં આવશે.

200 કિલોને બદલે 203 કિલો ચોખા આપ્યા
રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી ગંગુલા કમલાકરે કહ્યું કે PMGKY હેઠળ, ડિસેમ્બર 2022 સુધી દરેક લાભાર્થીને 203 કિલો ચોખા આપવામાં આવ્યા છે. આ સોફ્ટવેરમાં ફેરફારને કારણે થયું છે. વાસ્તવમાં મે 2021થી ડિસેમ્બર 2022 સુધી 200 કિલો ચોખા આપવાના હતા, પરંતુ ત્રણ કિલો વધુ આપવામાં આવ્યા એટલે હવે ક્વોટાને સમાયોજિત કરવા માટે સરકારે જાન્યુઆરીથી માર્ચ સુધી દર મહિને એક કિલો ઓછા ચોખા આપવાનો નિર્ણય કર્યો છે.

એપ્રિલથી 6 કિલો ચોખા મળશે
કમલાકરે જણાવ્યું કે એપ્રિલથી રેશનકાર્ડ ધારક પરિવારોને વ્યક્તિ દીઠ 6 કિલો ચોખાનું વિતરણ શરૂ કરવામાં આવશે. PMGKY હેઠળ 54.48 લાખ પરિવારોને લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પોતાના ખર્ચે 92 લાખ લાભાર્થીઓને ચોખાનું વિતરણ કરી રહી છે. લોકડાઉન દરમિયાન કેન્દ્રએ રેશનકાર્ડ ધારકોને મફત ચોખા આપ્યા હતા જેમાં રાજ્ય સરકારે બે મહિના માટે પરિવાર દીઠ રૂ. 1,500 અને સ્થળાંતરિત કામદારોને પરિવાર દીઠ રૂ. 500 આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.