ST બસમાં 50 જેટલા પરપ્રાંતીયોને ઠસોઠસ ભરીને તંત્રએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા

વડોદરા શહેરમાંએસ.ટી. બસમાં 40થી 50 જેટલાપરપ્રાંતીયોને બેસાડીને રેલવે સ્ટેશન લઇ જવાયા હતા. એક સીટમાં 3 લોકોને બેસડીને વડોદરા જિલ્લા તંત્રએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. તંત્રના અણઘડ આયોજનથી કોરોના ફેલાવવાનોભય વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી પરપ્રાંતીયોને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. મંગળવારે મોડી રાત્રે પણ વડોદરા, ડભોઇ અને વાઘોડિયામાં રહેતા 1200 પરપ્રાંતીયોને લઇને લખનઉ જવા માટે ટ્રેન રવાના થઇ હતી. જોકે પરપ્રાંતીયોને રેલવે સ્ટેશન બસ લઇ જવાયા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. એસ.ટી.બસમાં 40થી 50 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. એક સીટ પર 3-3 લોકો બેઠા હતા. તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. વડોદરા જિલ્લા તંત્રના અણઘડ આયોજનથી કોરોના વાઈરસ ફેલાવવાનો ભય છે. તકેદારી અને સુરક્ષાની વાતો કરતુ તંત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે ગંભીર નથી એક તરફ તંત્ર દ્વારા લોકોને સુરક્ષા, તકેદારી અને સુવિધા સાથે એમના વતન રાજ્યમાં મોકલવાની વાતો થાય છે અને બીજી તરફ પરપ્રાંતીયો તેમના વતન મોકલતી વખતે સોશિયલ ડિન્સન્સિંગ ન જાળવીને તંત્ર સુરક્ષા અને તકેદારી બાબતે ગંભીર ન હોવાનું જણાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.