ગેહલોત્ત સરકારને ઘેરો કરવા માટે યોજાયેલી હુંકાર રેલીમાં ભાજપ નેતાએ આપ્યું નિવેદન,મુસલમાનોએ હિંદુ બનવું જ પડશે……

રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોત સરકારને ઘેરો કરવા માટે યોજાયેલી હુંકાર રેલીમાં ભાજપના એક નેતાએ લવારા કર્યા હતા અને જેને કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપને આ નેતાએ બેફામ નિવેદન આપતા કહ્યું હતું કે મુસલમાનો પહેલાં હિંદુ જ હતા, હવે ફરી મુસલમાનોએ હિંદુ બનવું જ પડશે.

કરૌલી, જોધપુર હિંસા અને અલવરના રાજગઢમાં મંદિર તોડવાની ઘટનાને લઈને ભાજપે અલવરથી હુંકાર રેલી શરૂ કરી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડ, અરુણ ચતુર્વેદી સહિત ભાજપના અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા.અને આ દરમિયાન રામગઢના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જ્ઞાનદેવ આહુજાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

રેલીને સંબોધતા જ્ઞાનદેવ આહુજાએ કહ્યું કે મુસ્લિમોએ ક્યારેય શાસન કર્યું નથી.તેમણે કહ્યું કે તમારા વડવાઓને માર મારીને મુસ્લિમ બનાવ્યા છે. મુગલોએ આજના મુસલમાનોને હેરાન કર્યા, બહેનો અને દીકરીઓ પર બળાત્કાર કર્યો, પછી ધર્માંતરણ કરીને મુસલમાન બન્યા અને નહીં તો તેઓ હિંદુ હતા. આજના મુસ્લિમો હિન્દુમાંથી ધર્માંતરણ કરીને જ બન્યા છે. તો એક દિવસ મુસલમાનોએ હિંદુ બનવું જ પડશે.

અલવરથી જ હુંકાર રેલી શરૂ કરવા પાછળ ઘણા મુદ્દા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે અલવર મુકબધિર સગીર કેસમાં પીડિતાને હજુ સુધી ન્યાય મળ્યો નથી. અને સમાજના લોકો આંદોલન પર છે. તે જ સમયે, રાજગઢમાં 300 વર્ષ જૂના મંદિરને તોડવા અને અલવરમાં જ અપરાધ વધારવા માટે અહીંથી રેલી શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ આ રેલીથી ભાજપની આંતરિક લડાઇ પણ સામે આવી છે. હુંકાર રેલીના પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, જેપી નડ્ડા, સતીશ પુનિયા, ગુલાબચંદ કટારિયા સહિતના સ્થાનિક નેતાઓની તસવીરો છે પરંતુ પોસ્ટરમાંથી પૂર્વ સીએમ વસુંધરા રાજે ગાયબ છે.અને આ બેઠકમાં વસુંધરા રાજે પણ હાજર રહ્યા નહોતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.