સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસને હંફાવતો AAP પાર્ટીનો માસ્ટર પ્લાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારી શરૂ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આગામી 22મી માર્ચે રાજકોટમાં ગુજરાત નિર્માણ સંમેલનનું આયોજન કર્યુ છે. આ સંમેલનમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય હાજરી આપશે.

આ ઉપરાંત ગુજરાતના અલગ-અલગ જિલ્લાના કાર્યકર્તાઓ પણ આ સંમેલનમા જોડાશે. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસીયાએ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવવાની વાત કહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના સંમેલનમાં અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.