સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના સામેનો જંગ જીત્યા, હોસ્પિટલમાંથી મળી રજા

બોલીવુડના કોરાના સાથેની લડત જીત્યા બાદ ઘરે પરત ફર્યા છે. તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ માહિતી તેમના પુત્ર અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા દ્વારા આપી છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આભાર કે મારા પિતાનો કોવિડ 19 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તે ઘરે રોકાઈને આરામ કરશે. તમારા બધાની પ્રાર્થના માટે આભાર.

અમિતાભ બચ્ચન છેલ્લા 23 દિવસથી કોરોના વાયરસ પોઝિટિવ હોવાને કારણે નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને 11 જુલાઈએ કોરોના પોઝિટિવ હોવાનું જણાવવામાં આપ્યું હતું હતું.

તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન ઉપરાંત તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાની સારવાર માટે આ જ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જોકે, થોડા દિવસો પહેલા ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.