સુપ્રીમ કોર્ટે ગુરુવારે, ખેડૂત આંદોલનમાં કોરોનાની સ્થિતિ અંગે, વ્યક્ત કરી ચિંતા

સુપ્રીમ કોર્ટે  ગુરુવારે ખેડૂત આંદોલનમાં  કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ખેડૂત આંદોલનમાં કોરોનાના નિયમોનું પાલન થઈ શકે કે કેમ.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને ઇશારો કર્યો છે કે સરકારે તે વખતે આપેલી મંજૂરી પછી ઘણઈ મુશ્કેલી સર્જાઇ હતી, જેનું પુનરાવર્તન ખેડૂત આંદોલન દરમિયાન ન થાય. આ અરજીની સુનાવણી કરતાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તમે અમને જણાવો કે શું થઈ રહ્યું છે. અમને ખબર નથી કે કોવિડથી ખેડૂતો સુરક્ષિત છે કે નહીં, તે જ સમસ્યા ખેડૂતોના વિરોધમાં ઉભી થઈ શકે છે.

આ તરફ સીજેઆઈએ કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કોરોના ફેલાય નહીં અને કોરોનાથી બચવા જાહેર કરાયેલ કરાઈ ગાઇડલાઇન્સનું (corona guidelines) પાલન થાય.

SCએ કેન્દ્રને તબલીગી જમાતનો કિસ્સો યાદ દેવડાવતા પુછ્યું, 'શું ખેડૂતો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે?'

જણાવી દઇએ કે ખેડૂત આંદોલનનો આજે 43મો દિવસ છે. આજે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી છે. આજે દિલ્હીની આસપાસ ખેડુતો ટ્રેક્ટર કૂચ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ માર્ચમાં 60 હજાર ટ્રેકટર સામેલ છે.

પ્રજાસત્તાક દિન પર મહિલા ટ્રેક્ટર કૂચનું નેતૃત્વ કરશે. હરિયાણાની લગભગ 250 મહિલાઓ ટ્રેક્ટર ડ્રાઇવિંગની તાલીમ લઈ રહી છે. ખેડુતો અને સરકાર વચ્ચે 4 જાન્યુઆરીની બેઠક અનિર્ણિત હતી અને આગામી તારીખ 8 જાન્યુઆરી નક્કી થઈ હતી. આગામી બેઠકમાં કૃષિ કાયદાને પાછો ખેંચવાની અને એમએસપી પર અલગ કાયદા બનાવવાની માંગ કરવામાં આવશે. આ 9 મી રાઉન્ડ બેઠક હશે. અગાઉ 7 મી રાઉન્ડની બેઠકમાં ખેડૂતોની માત્ર 2 માંગણીઓ પર સહમતી સર્જાઇ હતી, અન્ય તમામ બેઠકો અનિર્ણિત હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.