સુરત બાદ અમદાવાદમાં અફરાતફરીઃ 3000 પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા

ગુજરાતમાં હવે દિવસે ને દિવસે પરપ્રાંતિય મજૂરો વતન જવાની જીદે રસ્તા પર ઉતરી આવ્યાની ઘટનાઓમાં વધારો થયો છે. ગઈકાલે સુરતમાં હજારો મજૂરોએ રસ્તા પર ઉતરી આવી પથ્થરમારો અને આગચંપી કરી હતી. ત્યારે સુરત બાદ હવે અમદાવાદમાં હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને વતન જવાની જીદ કરી રહ્યા હતા.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલી પાસે આજે અંદાજે 3 હજાર જેટલાં પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ માટે પણ લોકોને કાબૂમાં લેવા માટે પસીનો છૂટી ગયો હતો. જો કે અમદાવાદમાં મજૂરો કોઈ હોબાળો કર્યો ન હતો. પણ હજારોની સંખ્યામાં લોકો એકઠાં થતાં સોશિયલ ડિસ્ટન્સનો સંપુર્ણ અભાવ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ગરમીનો પારો 40ને પાર છે. તેવામાં ભર બપોરે ધોમધખતાં તાપમાં પણ મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ખભે અને માથે ભારે ભરખમ બેગ લઈને પણ આ મજૂરો ચાલી નીકળ્યા છે. શું આ જ વિકાસશીલ ગુજરાત છે. શું આ જ વાઈબ્રન્ટ ગુજરાત છે? જેવા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.