સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિમા,ધીમે ધીમે જોવા મળી રહ્યો છે સુધારો…

બારડોલી: (Bardoli) કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. કેસોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે સમગ્ર જિલ્લામાં દૈનિક 600થી વધુ કેસો હતા, તે હવે 250થી 300ની આજુબાજુ, જ્યારે બારડોલીમાં દૈનિક 100થી વધુ કેસો (Case) નોંધાયા હતા તે હવે 40થી 60ની આસપાસ જોવા મળી રહ્યા છે.

સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના બારડોલી શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં તો કોરોનાએ કાળો કેર વાર્તાવ્યો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલોમાં પણ હવે રાહત થઈ છે. કેસોમાં થઈ રહેલા ઘટાડાથી લોકોની સાથે તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે. કેસ ઘટ્યા હોવા છતાં તકેદારીના ભાગરૂપે આ અઠવાડિયે પણ વિકેન્ડ કરફ્યૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં વધુ સંક્રમણ ધરાવતા ગામો તેન, બાબેન, ઇસરોલી, ધામડોદ લુંભા, કડોદ, મઢી, સુરાલી, મોતા, વાંકાનેર અને સરભોણમાં બે દિવસ માટે બજારો બંધ રહેશે. એ જ રીતે મહુવા તાલુકામાં તાલુકા મુખ્ય મથક મહુવા, અનાવલ, વલવાડા, કરચેલીયા, ઓંડચ અને શેખપુર ગામના બજારો બંધ રાખવાની પણ અપીલ એસ.ડી.એમ. દ્વારા કરવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.