સુરતના લોક મેળામાં મોટી દુર્ઘટના ટળી, 80 ફૂટ ઊંચેથી 71 લોકોનું રેસ્ક્યુ, 50 સહેલાણીઓનો જીવ તાળવે ચોંટ્યા

મોરાગામમાં તીર્થ મેળામાં ૭૦-૮૦ ફૂટ ઊંચી મહાકાય ચગડોળ અચાનક બંધ પડી ગઇ હતી. ચગડોળ અચાનક બંધી પડી જતાં ૫૦થી વધુ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અંગેની જાણ ફાયરને થતાં તેઓએ બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે લોકોને સહીસલામત બહાર કાઢયા હતા.

મોરાગામ રિલાયન્સ કંપનીના ગેટ નં. ૪ની સામે તીર્થ મેળો ભરાયો હતો. બુધવારે નાતાલની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવ્યા હતા. મેળામાં સાંજે ૭૦થી ૮૦ ફૂટ ઊંચી ચગડોળ અચાનક બંધ થઇ ગઇ હતી. તેથી ૫૦ કરતાં વધુ લોકો ચગડોળમાં ફસાઇ ગયા હતાં.

ફસાયેલા સ્ત્રી, પુરુષ અને બાળકોએ હોબાળો અને ચિચિયારી કરતા મોટી સંખ્યામાં લોકો ચગડોળ પાસે અકત્ર થઇ ગયા હતાં. ચગડોળમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવા માટે ફાયરને કોલ કરવામાં આવ્યો હતો. ચગડોળમાં લોકો ફસાયાનો કોલ મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.

ફાયરે બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે ચગડોળમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. હજીરા પોલીસે આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.