સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ, આજે 7 નવા કેસ,રાજ્યમાં કોરોનાના કુલ 70 દર્દી

સુરતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના 70 દર્દી થઈ ગયા છે.આ પહેલા મોડી રાત્રે ભાવનગરમાં 5અને અમદાવાદમાં 1કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 6 લોકોના મોત થઈ ગયા છે અને સ્વસ્થ થતા 4 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે આજેભાવનગરના જેસમાંએક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે. ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. કેટલાક નાગરિકો 100 અને 112 નંબર પર મદદ લઈ શકે. કોઇ ક્રિકેટ રમે છે, કોઇ ફરવા નીકળે છે. આવા લોકો સામે કર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓને જણાવવાનું કે પોતાની ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.