સુરત મનપા દ્વારા પાંડેસરા ના આવાસ ને નોટીસ આપતા મહિલાઓ ભરાઈ રોષે

સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત હાઉસિંગ બોર્ડ ને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાઇ હતી .ત્યારે મનપા દ્વારા પાંડેસરા હાઉસિંગ બોર્ડને નોટિસ આપી સામી દિવાળીએ ખાલી કરવા જણાવ્યું હતું. જેને લઇને મહિલાઓ રણચંડી બની હતી.

આજરોજ મહિલાઓ દ્વારા કલેકટર કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા. જ્યાં કલેકટર કચેરીમાં નહી જવા દેતા મહિલાઓએ બળજબરી કરી કલેકટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેઓએ કલેકટરને રજૂઆત કરી હતી કે તેઓને દિવાળીબાદ સુધીનો સમય આપવામાં આવેે કે જેથી તેઓ પોતાની અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી દે .

જો સમય આપવામાં નહીં આવશે તો હાઉસિંગ બોર્ડના તમામ સભ્યો દ્વારા રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.