સૂર્ય, ચંદ્રમા અને સત્ય વધુ સમય છુપા નથી રહેતા, રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

સૂર્ય, ચંદ્રમા અને સત્ય વધુ સમય કોરોના સંક્રમણનો મુદ્દો કે પછી ગાલવાન ઘાટી ક્ષેત્રમાં જવાનોની શહીદીનો મુદ્દો, દરેક મામલે રાહુલના સરકાર સામે સવાલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ નિશાન તાકવાની એક પણ તક જતી નથી કરતા. કોરોના વાયરસના સંક્રમણનો મુદ્દો હોય કે પછી લદ્દાખમાં LAC ખાતે ગાલવાન ઘાટીમાં ચીન સાથેની હિંસક અથડામણની ઘટનામાં ભારતીય જવાનોની શહીદીનો મુદ્દો, રાહુલ ગાંધી દરેક મોરચે મોદી સરકાર સામે સવાલો કરી રહ્યા છે.

ત્યારે રાહુલ ગાંધીએ હવે ગુરૂ પૂર્ણિમાના અવસર પર પણ કેન્દ્ર સરકારને ઘેરામાં લીધી છે. કોંગ્રેસી નેતાએ ગુરૂ પૂર્ણિમાની શુભકામનાઓ આપીને ભગવાન ગૌતમ બુદ્ધને ક્વોટ કર્યા હતા અને ત્રણ વસ્તુઓ લાંબો સમય છુપી નથી રહેતી જેમાં સૂર્ય, ચંદ્રમા અને સત્યનો સમાવેશ થાય છે તેમ કહ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ત્રણ વસ્તુઓ લાંબો સમય છુપી નથી રહેતી- સૂર્ય, ચંદ્રમા અને સત્ય: ગૌતમ બુદ્ધ. આપ સૌને ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ.’

હકીકતે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ચીનના કથિત આક્રમણને લઈ રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે લદ્દાખવાસીઓનો હવાલો આપીને ચીને આપણી જમીન લીધી હોવાનો દાવો કર્યો હતો. વધુમાં વડાપ્રધાન કહે છે કોઈએ આપણી જમીન નથી લીધી તો સ્પષ્ટપણે કોઈ તો ખોટું બોલે છે તેવો કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં અનેક લોકો ચીની સૈનિકો આપણા ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હોવાનું બોલતા સંભળાય છે. વીડિયોમાં એક વ્યક્તિએ ચીની સૈનિકો ગાલવાન ઘાટી ક્ષેત્રમાં 15 કિમી અંદર ઘૂસી આવ્યા હોવાનો દાવો કર્યો હતો. વીડિયોમાં રહેલા લોકોએ આપણી જમીન પર ચીનનો કબજો વધી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.