સુશાંતના પરિવારને લાગે છે કે, આ આત્મહત્યા નહીં પણ સુશાંતની હત્યા કરવામાં આવી છેઃ વકીલ

અભિનેતા સુશાંત સિેંહ રાજપૂતના સુસાઈડ કેસમાં એક તરફ સીબીઆઈ દ્વારા સતત તપાસ ચાલી રહી છે તો બીજી તરફ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહનુ નવુ નિવેદન સામે આવ્યુ છે. વિકાસ સિંહે કહ્યુ છે કે, સુશાંતના પરિવારને લાગે છે કે, સુશાંતે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી છે.

વિકાસ સિંહે કહ્યુ હતુ કે, પહેલા એવુ લાગતુ હતુ કે, સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો હતો પણ હવે એવુ લાગે છે કે, સુશાંતની હત્યા કરવામાં આવી છે.

તેમણે મુંબઈ પોલીસની તપાસ પર પણ સવાલો ઉભા કરતા કહ્યુ હતુ કે, પોલીસે ક્યારે પણ સુશાંતના પરિવારને કે મને કોઈ સ્ટેટમેન્ટ આપ્યુ નથી. પોલીસ તરફથી કોઈ જાણકારી અમારી સાથે શેર કરવામાં આવી નથી. જો આવુ થયુ હોત તો આ કેસ અલગ દિશમાં આગળ વધતો. મુંબઈ પોલીસે જે પણ નિવેદન આપ્યુ હતુ તે મરાઠી ભાષામાં હતુ અને સુશાંતના પરિવારને તેમાં સમજ પડી નહોતી. આમ છતા પોલીસે આ નિવેદન સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુ કર્યુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.