તબીયત બગડ્યા બાદ કરાયા દાખલ,3 દિવસ પહેલા દેખાયા હતા લક્ષણ

80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા આસારામને બેચેનીની ફરિયાદ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવાયો હતો. કોરોનાના લક્ષણ અને વધતી શ્વાસની તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબીયત બગડ્યા બાદ તેમને એમજીએચ કોવિડ સેન્ટર મોકલાયા છે.

આ પહેલા પણ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમની તબિયત બગડતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. ફેબ્રુઆરીમાં પણ તેમને શ્વાસની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવાયા હતા.

આસુમલ થાઉમલ હરપલાની ઉર્ફ આસારામ સગીર બાળકીના રેપ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે. રેપ કેસમાં તેમને દોષી માનવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.