‘તાન્હાજી’ ફિલ્મ વિવાદમાં,વીડિયો ક્લિપમાં મોદીને શિવાજી તરીકે બતાવ્યા, શિવસેના આક્રોશમાં

બોલિવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાન્હાજી : ધ અનસંગ વૉરિયર હાલ ખૂબ ચર્ચામાં છે. એવામાં એક વખત ફરી આ ફિલ્મ મૉફર્ડ વીડિયો ક્લિપ ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનું કનેક્શન પીએમ મોદી અને અમિત શાહથી છે.

સોશિયલ મીડિયા પર એક એડિટેડ વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. આ વીડિયો ક્લિપમાં ફિલ્મ તાન્હાજીના ચહેરાઓ પર રાજનેતાઓના ચહેરા એડિટ કરવામાં આવ્યા છે. વીડિયો ક્લિપમાં છત્રપતિ શિવાજી મહારાજના ચહેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરા લગાવવામાં આવ્યો છે. તો તાન્હાજી માલુસરેના ચહેરા પર છત્રપતિ શિવાજી મહારાજના ચહેરા પર અમિત શાહનો ચહેરો છે. તેની સાથે જ ઉદય ભાનના ચહેરા પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં શિવશેના નેતા સંજય રાઉતે તેનો વિરોધ કર્યો છે. તે આ વીડિયોને લઇને પૂછપરછ કરી રહ્યા છે. સંજય રાઉતે આકરા શબ્દોમાં કહ્યું છે કે કોઇપણ કિંમત પર છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન સહન કરવામાં આવશે નહીં.

જો વાત એડિટેડ વીડિયોની કરીએ તો તાન્હાજીમાં જ્યાં હકીકતમાં કોંડાના કિલ્લાને લઇને વાત થાય છે તો મૉફર્ડ વીડિયોમાં કોંડાના કિલ્લાની જગ્યાએ દિલ્હી વિધાનસભાનો બતાવવામાં આવી રહી છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી દિલ્હી જીતવા માટે અમિતશાહ ચૂંટણી કરી રહ્યા છે. જ્યારે ઉદય ભાન તરીકે અરવિંદ કેજરીવાલ ડાયલોગ બોલતા દેખાઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.