તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સની આતુરતાનો આવ્યો અંત, આ દિવસથી ‘દયાબેન’ની ગરબે ઘૂમતા થશે વાપસી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ દયાબેનની વાપસી માટે ચર્ચામાં છે. તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે મેકર્સ અને દિશા વકાણી એટલે કે દયાબેનવવી વચ્ચેની સમસ્યા સમાપ્ત થઇ ગઇ છે. દિશા વકાણી જલ્દીથી આ શો માં પરત આવવાની છે.

છેલ્લા કેટલાક દિવસોથી દિશા વકાણી પોતાના સેટથી જોડાયેલા કેટલાક ફોટો પોસ્ટ કરી રહી છે. જેનાથી ફેન્સે એ વાતનો અંદાજો લગાવી દીધો હતો કે દિશા વકાણી શો પર જલ્દીથી કમબેક કરશે. પરંતુ ક્યારે એ નક્કી થયું નહતું.

ત્યારબાદ આ સમાચારને પૂરી રીતે નક્કી જણાવવામાં આવી રહ્યું છે કે જૂની દયાબેનની વાપસી થવી નક્કી છે. ફેન્સ પણ ઘણી વખત દિશા વકાણીને સોશ્યલ મીડિયા દ્વારા આ પ્રશ્ન પૂછી ચુક્યા છે કે ક્યારે વાપસી કરી રહ્યા છો.

ગરબા રમતા એન્ટ્રી

ગણપતિ સ્પેશ્યલ એપિસોડમાં દેખાડવામાં આવ્યું કે જેઠાલાલ બધાને એવું કહેતા નજરે પડ્યા હતા કે જલ્દીથી શો માં દયાબેનની વાપસી થવાની છે. દયાબેનના કેટલાક જૂના સીન્સ પણ દેખાડવામાં આવ્યા છે. તો હવે એવું નક્કી છે કે દિશા વકાણી ગરબા કરતી શો માં એન્ટ્રી લેશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર દિશા વકાણી અને નિર્માતા અસિત મોદીની વચ્ચે જૂના તમામ વિવાદ ઉકેલાઇ ગયા છે. દિશાએ કામ કરવા પર સહમતિ આપી દીધી છે. શક્ય છે કે ઓક્ટોબરમાં નવરાત્રી સ્પેશિયલ એપિસોડ માટે એ જલ્દીથી શૂટિંગ કરશે.

2 વર્ષ પહેલા દિશાએ મેટરનીટિ લીવ લીધી હતી. ત્યારબાદ એ પોતાની પુત્રી સાથે પાલનપોષણમાં વ્યસ્ત હતી. મળતી માહિતી અુસાર દિશાનો પતિ ઇચ્છતો નહતો કે એ પુત્રીને છોડીને કામ કરે. વર્ષ 2017થી આ શો થી દૂર છે. વાપસી માટે દિશાએ ફી વધારાની સાથે માત્ર 15 દિવસ કામ કરશે એવી શરત મૂકી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.