અનુષ્કા શર્મા અને કોહલી વચ્ચે આવી ગયું અંતર , ખુદા અનુષ્કાએ આ વાત શેર કરી છે.

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા(ANUSHKA SHARMA) અને તેના પતિ વિરાટ કોહલી(VIRAT KHOLI) વચ્ચે અંતર આવી ગયું છે. ખુદ અનુષ્કા શર્માએ એક પોસ્ટ(POST) દ્વારા આ માહિતી આપી છે. આ અંતર નું કારણ કવોરેન્ટાઈન(QUARANTINE) છે. વાસ્તવમાં અનુષ્કા પતિ વિરાટને પ્રોત્સાહિત કરવા દુબઈ(DUBAI) પહોંચી છે.

અનુષ્કાએ કર્યા ફોટા શેર..

દુબઈમાં ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. વિરાટ કોહલી ત્યાં ભારતીય ટીમ સાથે હાજર છે. અનુષ્કા અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દુબઈ ની હોટલ ની કેટલીક તસવીરો શેર કરી છે. અનુષ્કા હોટલમાં રહી છે અને ત્યાં કવોરેન્ટાઈન છે. અનુષ્કાની પોસ્ટમાં વિરાટ અભિનેત્રીને બાલ્કનીમાં અને હોટલની લોન પર ઊભો રહી ‘હાય’ કરતો જોઈ શકાય છે.

અનુષ્કાએ ફોટાઓના કેપ્શનમાં લખ્યું, “હું આ બે કેપ્શનમાંથી કરી પસંદ કરી શકી નહી – ક્વોરેન્ટાઇન તમારા હૃદયને પ્રેમથી ભરેલું બનાવે છે અને બબલ વાળી જીંદગી વચ્ચે પ્રેમ. ઓહ, તમે સમજી ગયા હશો. “અનુષ્કાની આ પોસ્ટને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. તે જ સમયે, સેલેબ્સ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનુષ્કા શર્માની પોસ્ટ પર રણવીર સિંહ, સાનિયા મિર્ઝા અને અન્ય સ્ટાર્સે કોમેન્ટ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.