બોટાદના ધંધૂકા – બરવાળાના લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો ઝેરી દારૂ પીવાથી 27નાં થયા હતા મોત…

ધંધૂકા – બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 27નાં મોત થયા છે અને જેમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 લોકોનાં મોત થયા છે. તેમજ બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત થયા છે તથા ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ ધંધુકા તાલુકાનાં આકરૂં ગામના 3 લોકોનાં મોત થયા છે. લઠ્ઠાકાંડના મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 12 દર્દીઓ દાખલ કરાયા છે અને તેમાં રાતે 12 વાગ્યાથી દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. તેમજ ટ્રોમમાં સેન્ટરમાં દર્દી દાખલ છે. જેમાં સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોષી પરિસ્થિતિનો ચિતાર મેળવવા પહોંચ્યા છે. તથા દર્દીઓને જરૂરી સારવાર અને અન્ય મેડિકલ જરૂરિયાત તાત્કાલિક આપવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે અણીયાલી ગામનાં 2 અને ઉચડી ગામના 2 લોકોનાં મોત થયા છે તેમજ અન્ય ગામના 9 લોકોનાં મોત થયા છે. તથા 31 લોકો હજુ સારવાર હેઠળ છે. તેમજ બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં પિપલજની કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જયેશ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં ખાનગી કંપનીના કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે. તથા 600 લીટર મિથેલોન વેચનાર આરોપી ઝડપાયો છે. જેમાં મંજુરી વગર મિથેલોન ગેરકાયદે વેચ્યુ હતુ.

તેમજ મિથેલોનનો ઉપયોગ દેશી દારુ બનાવવામાં થયો હતો અને તેમાં પીપળજની AMOS કંપનીમાંથી મિથેલોન ખરીદાયું હતું. જેમાં AMOS કંપની ગેરકાયદે હોવાનું પ્રાથમિક અનુમાન છે. તથા AMOS કેમિકલ કંપની પાસે હેલ્થ વિભાગનું લાઇસન્સ પણ નથી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.