સુરત:ભાજપના વિરોઘ પ્રદશઁન કાયઁક્રમમાં હાજર મેયર વિરુધ્ધ જ નારેબાજી થતા મેયર ભાગ્યા.

 પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા ઉપર આવતાં ભાજપના કાર્યકરો ઉપર હુમલાને લઈને ભાજપ દ્વારા દેશભરમાં તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પુણાગામ સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન માટે સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા હાજર થતાની સાથે જ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા વિરોધ પ્રદર્શનમાં હાજર થતાની સાથે જ ” હાય રે, મેયર.. હાય હાય”ના નારા લાગ્યા હતા. પરિસ્થિતિ પારખી જતાં મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતાં. સૂત્રોચ્ચાર શરૂ થતાં મેયર શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.તેમણે કોઈ પણ ભાજપના કાર્યકર્તા સાથે વાત કરવાનું ટાળીને સીધા પોતાની ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા.ગઈ કાલે ભાજપનાં પ્રદેશ, પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ દ્નારા પણ આ બાબતે બેનર હાથમાં લઈને તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ કરેલ હતો.

આ બાબતે કોગ્રેંસનાં નેતાએ જણાવ્યું હતું કે, શહેર કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોત થઈ રહયાં છે.તેને અટકાવવાને બદલે મેયર આ રીતે વિરોધ પ્રદર્શનમાં પોતાનો સમય વેડફી રહયાં છે.કોર્પોરેશનના જુના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબો હડતાળ પર ઊતરતાં હેલ્થ સેવા ઉપર અસર થઇ રહી છે.તેવા મહત્વના પ્રશ્નો ઉકેલવા ને બદલે તૃણમુલ કોંગ્રેસનો વિરોધ કરીને મેયર હજી પણ પોતાની રાજનીતિ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કેટલે અંશે યોગ્ય ગણાય ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.