કિયારા અને સિદ્ધાર્થના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે આ વાતને અભિનેતાનું આડકતરું સમર્થન

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચા થોડા સમયથી થઇ રહી છે અને હવે સિદ્ધાર્થે ખુદ આ વાતને આડકતરું સમર્થન આપ્યું છે.

તાજેતરમાં એક મીડિયા સંવાદ દરમિયાન સિદ્ધાર્થે સામે ચાલીને આ વાત ઉચ્ચારી હતી અને તેણે પૂછ્યું હતું કે હું આવતાં વર્ષે લગ્ન કરી રહ્યો છું કે નહીં, તે વિશે તમે વાત કરવા માગો છે કે કેમ .સિદ્ધાર્થની આ વાત પરથી તેણે તેનાં આગામી વર્ષે લગ્ન થઈ રહ્યાંની અટકળોને સમર્થન આપ્યું છે અને એમ માનવામાં આવે છે સિદ્ધાર્થ અને કિયારાની લવ સ્ટોરી ફિલ્મ શેરશાહના સેટ પરથી શરૂ થઇ છે. તેમણે ચંડીગઢમાં મેરેજ વેન્યૂ પણ નક્કી કરી લીધું હોવાનું કહેવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.