આઈસ્ક્રીમ ખાવા ગયો યુવક અને મળ્યું મોત ; એવું તો શું થયું કે…

પાંડેસરા પત્રકાર કોલોની નજીક આઇસ્ક્રીમ ખાવા જનાર ત્રણ મિત્રોને સામાન્ય બાબતે ઝઘડો થતાં તે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જયારે બીજાને સામાન્ય ઈજા થઈ હતી.

આ ઘટના બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે સત્યનારાયણ નગરમાં રહેતો રીતેશ રાજેશ જયસ્વાલ ડી માર્ટમાં નોકરી કરતો હતો. ગત રોજ બપોરે બે મિત્ર અને દિલીપકુમાર મિત્ર સાથે તે નવરાત્રી માટે કપડા ની ખરીદી કરવા ગયો હતો. તેઓ ખરીદી બાદ આઈસ્ક્રીમ ખાવા ગયો હતો.

જો કે, બંને યુવાનોએ હમ તુજે આઈસ્ક્રીમ વાલે લગતે હૈ એમ કહી ઝગડો કર્યો હતો. જો કે, જે તે સમયે રીતેશ અને શિવમે યાર બાત ખતમ કરો, હમે નહિ પતા થા, તેમ કહી મામલો થાળે પાડ્યો હતો. અને બન્ને ઈસમો ત્યાંથી બાઇક પર બેસી ચાલ્યા ગયા હતા અને થોડા સમય બાદ પુનઃ ત્યાં આવી શિવમ અને રીતેશ પર છરા વડે હુમલો કર્યો હતો. જેમાં રીતેશને છાતીમાં ઘા વાગી જતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.

બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ઈજાગ્રસ્ત રીતેશને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે, ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ તથા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસે બે તરુણને ડીટેઈન કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.