માત્ર ફાયર વિભાગ આગ ઓલવવા સિવાય પણ આટલાં પ્રકારની કામગીરી કરે છે. અમદાવાદમાં તો માત્ર ૦૪ મહિનામાં આવ્યાં..

લોકોમાં એક સામાન્ય સમજ હોય છે કે ફાયર વિભાગ માત્ર આગ લાગી હોય ત્યાં માત્ર આગ ઓલવવાની કામગીરી જ કરે છે. ફાયર વિભાગ આગ ઓલવવા ઉપરાંત લિફટમાં ફસાયેલાં, ગેસ ગળતરથી ગૂંગળામણ અનુભવતાં,કે પછી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયેલાં લોકોને સલામત રીતે બહાર કાઢવાની પણ કામગીરી કરે છે.

જો માત્ર અમદાવાદની વાત કરવી તો શહેર હદમાં અને બહારથી મળેલાં ૧૦ રેસ્ક્યુ કોલ એટેન્ડ કરી અનેક લોકોની જિંદગી બચાવી છે.

અમદાવાદ માં ફાયર વિભાગ દ્નારા કોરોના મહામારી વચ્ચે શહેરમાં સંક્રમિત થયેલાં વિસ્તારોમાં સેનિટાઈઝ કરવાની ફાયરનાં જવાનોને આપવામાં આવી હતી.

અમદાવાદ ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,ફાયર વિભાગ આગ હોલવવા ઉપરાંત વૃક્ષ ઉપર ફસાયેલા પક્ષીઓને બચાવવાની, પાણીમાં, ખાડામાં કે અન્યત્ર ફસાયેલા પશુઓને બહાર કાઢવાની પણ કામગીરી કરે છે.

શહેરમાં હાઈરાઈઝડ બિલ્ડીંગોમાં લાગતી આગ કે મોબાઈલ ટાવર ઉપર ચડી જતા લોકોને સલામત રીતે ઉતારવા હાઈડ્રોલિક પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.