RBIના આ નિર્ણયથી કોમન લોકોનું ઘર અને કાર ખરીદવાનું સપનું થશે સાકાર જાણો વિગતવાર..

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ નાણાંકીય વર્ષ 2022-23 માટે પહેલાં દ્વિ-માસિક લોન નીતિની સમીક્ષાની જાહેરાત કરી દીધી છે,અને જેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. RBI ગવર્નરે કહ્યું કે રેપો રેટ 4 ટકા પર રાખવામાં આવ્યો છે તેનો અર્થ એ થયો કે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને વ્યાજ દર મોંઘા થવાની સંભાવના હાલ માટે પૂર્ણવિરામ મૂકી દેવાયું છે. જેમણે બેંકમાંથી લોન લીધી છે તેમની EMI અત્યારે મોંઘી નહીં થાય અને જેઓ હોમ લોન અથવા કર લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓને હાલમાં સસ્તી લોનનો લાભ મળતો રહેશે.

પ્રોપર્ટી ડેવલપર્સ મકાનોના ભાવમાં વધારો કરી રહ્યા છે, ઓટોમોબાઈલ કંપનીઓ કારના ભાવમાં વધારો કરી શકે છે અને શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ ફી વસૂલતી હોઈ શકે છે પરંતુ આરબીઆઈના હોમ લોન, કાર લોન અથવા એજ્યુકેશન લોનના વ્યાજદરમાં ફેરફાર ના કરવાના નિર્ણયને કારણે હાલ મોંઘી થવા જઇ રહી નથી.

જો કે આ સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે તેને લઇ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે 2022-23 માટે ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે અને જે 2021-22માં 4.5 ટકા હતો. જોકે હાલમાં રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના 6 ટકાના અંદાજ કરતાં ઘણો ઊંચો છે. કોમોડિટીના ઊંચા ભાવને કારણે ફુગાવો વધવાની શક્યતા છે.

આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કહ્યું છે કે હવે સેન્ટ્રલ બેંકની પ્રાથમિકતા ફુગાવાને રોકવાની છે. મતલબ કે વધતી જતી મોંઘવારીને જોતા આરબીઆઈ આગામી દિવસોમાં લોન મોંઘી કરી શકે છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે આરબીઆઈ આગામી ક્રેડિટ પોલિસી જાહેર કરશે ત્યારે વ્યાજ દરોમાં ફેરફાર થશે અને લોન પણ મોંઘી થઈ શકે છે. આ એ હકીકત દ્વારા પણ સૂચવી શકાય છે કે બેંકો લોન પર નહીં પરંતુ થાપણો પર સતત વ્યાજ દર વધારી રહી છે. પરંતુ બચત પરના વ્યાજદરમાં વધારો કરવાનો અર્થ એ છે કે આગામી દિવસોમાં લોન પણ મોંઘી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.