મર્યા પછી આ રીતે કરાય છે મોરના અંતિમ સંસ્કાર, આ નિયમ અનુસરવા જરૂરી છે જાણો વિગતવાર…

દૂનિયામાં દરેક દેશના રાષ્ટ્રીય પ્રતીક હોય છે જે તેની છબી અને ગરીમાને દર્શાવે છે. આ પ્રકારે ભારતમાં પણ કેટલાક રાષ્ટ્રીય પ્રતીક છે અને દરેકનું પોતાનું મહત્વ પણ છે. જેમકે ભારતનો રાષ્ટ્રીય પશુ વાઘ છે અને આ દેશના તે દેશના સમૃદ્ધ વન્યજીવનને દર્શાવે છે અને એવી જ રીતે પક્ષીઓમાં મોરને રાષ્ટ્રીય પક્ષીનું બિરુદ મળ્યું છે. મોર એ વિશ્વના સુંદર પક્ષીઓમાંનું એક છે અને માથા પર મુગટ હોવાને કારણે તેને પક્ષીરાજ પણ કહેવામાં આવે છે. રંગબેરંગી સપ્તરંગી રંગોને કારણે તે ખૂબ જ સુંદર લાગે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર મોરના મોત બાદ તેના અંતિમ સંસ્કારના વીડિયો વાયરલ થતા હોય છે. શું તમે જાણો છો કે રાષ્ટ્રીય પક્ષી હોવાના કારણે મોરના અગ્નિસંસ્કાર એક રિતભાતથી કરવામાં આવે છે? આજે આ આર્ટિકલમાં આપણે આ વિશે જાણીશું અને એ પણ જાણીશું કે શા માટે મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ કરવામાં આવ્યો..

મોરને 26 જાન્યુઆરી 1963ના રોજ ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું અને દરેક રાષ્ટ્રીય પ્રતીક પસંદ કરવા પાછળ ઘણા કારણો છે. મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ કરવામાં આવ્યો કારણ કે તે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે અને તેને સૌંદર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો પોતાના વ્યાપારી કે અંગત હિતો પૂરા કરવા માટે મોરને મારી નાખે છે. કેટલાક લોકો તેમના સુંદર પીંછા માટે તેમને મારી પણ નાખે છે અને નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ, મોર અથવા કોઈપણ પક્ષીને મારવા માટે 7 વર્ષની સજાની જોગવાઈ છે.

રાષ્ટ્રીય પક્ષી તરીકે સમ્માનિત મોરને તેના મૃત્યુ પછી એમ જ દફનાવવામાં આવતો નથી, પરંતુ એક પ્રોટોકોલ મુજબ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આપણે સૌ બાળપણથી વાંચતા આવ્યા છીએ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને એટલા માટે મોરના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવાની રીત પણ અલગ છે. મૃત્યુ પછી, મોરને એવી જ રીતે દફનાવવામાં આવતો નથી. પ્રોટોકોલ હેઠળ, મોરના મૃતદેહને પહેલા ભારતીય ધ્વજમાં લપેટવામાં આવે છે અને જે બાદ તેને સન્માન સાથે વિદાય આપવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે મોરના અંતિમ સંસ્કાર રાજ્યના વન વિભાગ દ્વારા જ કરવામાં આવે છે. ક્યારેક લોકો મોરના મૃત શરીર પર ફૂલ પણ અર્પણ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.