આ 3 કારણો જેના લીધે હાર્દિક પંડ્યાને ટી20 વિશ્વકપની ટીમમાં મળ્યું સ્થાન, સિલેક્ટરોનો માસ્ટર સ્ટ્રોક

ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં 5 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેગા ટૂર્નામેન્ટ માટે બીસીસીઆઈએ ટીમ જાહેર કરી દીધી છે. 15 સભ્યોની ટીમમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

 

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા સિવાય યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને તક મળી છે, જેમાં હાર્દિક પંડ્યાનું નામ પણ સામેલ છે. હાર્દિકનું માત્ર નામ જ નહીં, તેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને લઈને ચર્ચા હતી કે તેને ટી20 વિશ્વકપમાંથી બહાર કરવામાં આવી શકે છે. પરંતુ પસંદગીકારો અને કેપ્ટને હાર્દિકને પસંદ કરી માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. આઈપીએલમાં ભલે હાર્દિક પંડ્યા ફોર્મમાં ન હોય, પરંતુ તેને બસ એક સારી મેચની જરૂર છે. તેવામાં આવો જાણીએ હાર્દિક પંડ્યાને ટી20 વિશ્વકપ માટે પસંદ કરવો ટીમ મેનેજમેન્ટનો નિર્ણય કેટલો યોગ્ય છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ ખરાબ હતી. ટોપ ઓર્ડરમાં કોહલી, ધવન અને રોહિત ફેલ થયા હતા. તેવામાં મધ્યમક્રમમાં બેટિંગ કરવા પંડ્યા આવ્યો હતો. આ ફાઈનલમાં પાકિસ્તાનના બોલર ધમાલ મચાવી રહ્યાં હતા, પરંતુ હાર્દિકે એકલાએ મોરચો સંભાળ્યો હતો. હાર્દિકે આ મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. ટીમ ઈન્ડિયા ખરાબ શરૂઆત બાદ મેચ જીતી શકતી હતી પરંતુ હાર્દિકને કોઈનો સાથ મળ્યો નહીં અને તે દુર્ભાગ્યરીતે રનઆઉટ થયો હતો. આ સિવાય પણ હાર્દિક અનેકવાર મેચ ફિનિશ કરવાનું કામ કરી ચૂક્યો છે. તેવામાં તેનો અનુભવ કામ આવી શકે છે.

નંબર-1 ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર

હાર્દિક વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયાના નંબર એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરમાં સામેલ છે. હાર્દિકને તેની ફિટનેસનો સાથ મળ્યો નથી, બાકી તે દુનિયામાં અત્યાર સુધી છવાય ગયો હોત. આઈપીએલમાં હાર્દિક બેટિંગ સાથે બોલિંગ પણ કરી રહ્યો છે. અમેરિકા અને અમે વેસ્ટ ઈન્ડિઝની પિચથી મદદ મળવાની આશા છે. તેવામાં હાર્દિક બેટિંગમાં ઝડપી રન બનાવવાની સાથે બોલિંગમાં પણ ઉપયોગી થશે.

ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં 5 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેગા ટૂર્નામેન્ટ માટે બીસીસીઆઈએ ટીમ જાહેર કરી દીધી છે. 15 સભ્યોની ટીમમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા સિવાય યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને તક મળી છે, જેમાં હાર્દિક પંડ્યાનું નામ પણ સામેલ છે. હાર્દિકનું માત્ર નામ જ નહીં, તેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને લઈને ચર્ચા હતી કે તેને ટી20 વિશ્વકપમાંથી બહાર કરવામાં આવી શકે છે. પરંતુ પસંદગીકારો અને કેપ્ટને હાર્દિકને પસંદ કરી માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. આઈપીએલમાં ભલે હાર્દિક પંડ્યા ફોર્મમાં ન હોય, પરંતુ તેને બસ એક સારી મેચની જરૂર છે. તેવામાં આવો જાણીએ હાર્દિક પંડ્યાને ટી20 વિશ્વકપ માટે પસંદ કરવો ટીમ મેનેજમેન્ટનો નિર્ણય કેટલો યોગ્ય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ ખરાબ હતી. ટોપ ઓર્ડરમાં કોહલી, ધવન અને રોહિત ફેલ થયા હતા. તેવામાં મધ્યમક્રમમાં બેટિંગ કરવા પંડ્યા આવ્યો હતો. આ ફાઈનલમાં પાકિસ્તાનના બોલર ધમાલ મચાવી રહ્યાં હતા, પરંતુ હાર્દિકે એકલાએ મોરચો સંભાળ્યો હતો. હાર્દિકે આ મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. ટીમ ઈન્ડિયા ખરાબ શરૂઆત બાદ મેચ જીતી શકતી હતી પરંતુ હાર્દિકને કોઈનો સાથ મળ્યો નહીં અને તે દુર્ભાગ્યરીતે રનઆઉટ થયો હતો. આ સિવાય પણ હાર્દિક અનેકવાર મેચ ફિનિશ કરવાનું કામ કરી ચૂક્યો છે. તેવામાં તેનો અનુભવ કામ આવી શકે છે.
નંબર-1 ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર
હાર્દિક વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયાના નંબર એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરમાં સામેલ છે. હાર્દિકને તેની ફિટનેસનો સાથ મળ્યો નથી, બાકી તે દુનિયામાં અત્યાર સુધી છવાય ગયો હોત. આઈપીએલમાં હાર્દિક બેટિંગ સાથે બોલિંગ પણ કરી રહ્યો છે. અમેરિકા અને અમે વેસ્ટ ઈન્ડિઝની પિચથી મદદ મળવાની આશા છે. તેવામાં હાર્દિક બેટિંગમાં ઝડપી રન બનાવવાની સાથે બોલિંગમાં પણ ઉપયોગી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.