જો તમે હનુમાનજીના ભક્ત છો તો આ પ્રતિમાથી પૂરી થશે તમારી બધી જ મનોકામનાઓ

આજકાલના સમયમાં મોટાભાગના લોકો હનુમાનજીની પૂજા અર્ચના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાની વિશેષ ઈચ્છાઓને પૂરી કરવા માટે હનુમાનજીની ઉપાસના કરતા હોય છે. શાસ્ત્રોના અનુસાર એવું જણાવવામાં આવે છે કે કળયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ ખૂબ જ જલ્દી સાંભળી લેતા હોય છે. જો કોઈ ભક્ત પોતાના સાચા મનથી તેમને યાદ કરે છે તો હનુમાનજી પોતાના ભક્તોના દરેક કષ્ટ દૂર કરવા માટે અવશ્ય આવે છે. મહાબલી હનુમાનજી ની મહિમા અપરંપાર બતાવવામાં આવી છે અને તેમની શક્તિઓનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.

જો તમે પણ હનુમાનજીની પૂજા કરો છો તો પવનસુતની પ્રતિમા અને તેને સ્થાપિત કરવાની દિશાની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રના અનુસાર હનુમાનજીની પૂજા આરાધના સાથે જોડાયેલ અમુક જરૂરી વાતો વિશે જાણકારી આપીશું. જેની સહાયતાથી તમારી બધી જ મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થઈ શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવેતો મહાબલી હનુમાનજી ની ઘણી જ પ્રતિમાઓ અને તસવીર જોવા મળે છે જેનું પોતાનું અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું જણાવવામાં આવે છે કે તેમની અલગ અલગ તસવીરોની પૂજા કરવાથી મનુષ્યના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે પરંતુ જો તમે તમારી વિશેષ મનોકામનાને ખૂબ જ જલ્દી પૂરી કરવા માંગતા હોય અને તમે ઈચ્છતા હોય કે ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય તો તમારે ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધાં જ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થવા લાગે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. હનુમાનજીની આ પ્રતિમાની પૂજા કરવાથી માનસિક કલેશ જેવી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.