આજે શહીદ દિવસ જાણો દેશની આઝાદીમાં શું છે આ શહીદવિરો નું યોગદાન

આજે 23 માર્ચ છે, ભારતમાં તેને શહીદ અથવા શહીદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.અને આ દિવસ દેશ માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે ભારતના ત્રણ સપૂતોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હસતા હસતા ફાંસીની સજા સ્વીકારી હતી. હા, અમે વાત કરી રહ્યા છીએ શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતની. ચાલો જાણીએ કે આપણે આ દિવસને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવીએ છીએ અને દેશની આઝાદીમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું શું યોગદાન હતું.

હકીકતમાં, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને આ દિવસે એટલે કે 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજોએ ફાંસી આપી હતી. ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો આ ત્રણને ખાસ કરીને શહીદ ભગતસિંહને અનુસરે છે. તેમની પાસેથી પ્રેરણા લે છે. ત્રણેય મહાત્મા ગાંધીથી અલગ માર્ગ અપનાવીને અંગ્રેજો સાથે લડવા લાગ્યા. આ ત્રણેય યુવાનોએ ખૂબ જ નાની ઉંમરમાં દેશ માટે બલિદાન આપ્યું હતું.અને આ ત્રણેયની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભારત માટે બલિદાન આપનાર આ ત્રણેય બહાદુરોને લાહોર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. ઈતિહાસકારો જણાવે છે કે આ ત્રણેયને ફાંસી આપવા માટે 24 માર્ચ 1931 નક્કી કરવામાં આવી હતી, પરંતુ અંગ્રેજોએ તેમાં અચાનક ફેરફાર કરીને તેમને નિર્ધારિત તારીખના 1 દિવસ પહેલા ફાંસી આપી દીધી.

તેની પાછળનું કારણ એ હતું કે અંગ્રેજોને ડર હતો કે ફાંસીના દિવસે લોકો ગુસ્સે ન થઈ જાય. કારણ કે આ ત્રણેયની તે સમયે દેશના યુવાનો અને અન્ય લોકોમાં ઘણી લોકપ્રિયતા હતી. ત્રણેયને એક દિવસ પહેલા જ ગુપ્ત રીતે ફાંસીની સજા આપવામાં આવી હતી.અને તેના વિશે કોઈને જાણ થવા દેવામાં આવી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.