આવતી કાલે છે ઈદ , પોલીસે દ્નારા તૈયાર કરાયો ખાસ માસ્ટર પ્લાન..

ઈદ-એ-મિલાદ(EID) ની SOP માં સુધારો થતાં મુસ્લિમ સમાજના(MUSLIM COMMUNITY) લોકોમાં અન્યાયનો ગુસ્સો શાંત થયો છે. જુલુસ મોહલ્લા(PROCESSION MOHALLA) સુધી મર્યાદિત હોય તો ૪૦૦ લોકો ભાગ લઇ શકશે.એક વિસ્તારમાંથી જો બીજા વિસ્તારમાં ફરશે તો ૧૫ વ્યક્તિઓની મર્યાદાનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે.

અગાઉ અન્ય તહેવારની સરખામણીમાં સરકારે અન્ય કર્યો હોવાની રજૂઆત કેટલાક નેતા કમિશનરને મળવા પહોંચ્યા હતા. જોકે સરકારે તેમાં સુધારો કરતા હવે તેઓ આ નિર્ણયને સ્વીકારી નિયમોનું પાલન કરવા અને કરાવવા બાયંધરી આપી છે.

તો બીજી તરફ પોલીસે પણ આ તહેવારને લઈને બંદોબસ્તમાં કોઈ કમી રાખી નથી. ૧૯મી તારીખે રોજ શહેરભરમાં ૧૩ ડીસીપી, ૨૪ એસપી, ૭૦ પીઆઈ, ૬૦૦૦ પોલીસકર્મી અને ૦૨ થી વધુ એસઆરપીની કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.