નવસારી કસ્ટોડિયલ ડેથ મામલે આદિવાસીઓનું ધરણાં પ્રદર્શન…ધારાસભ્યને કરાયા નજરકેદ..

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથના મામલે સતત બે મહિનાથી આદિવાસીઓ વિરોધી કરી રહ્યાં છે. આદિવાસી યુવકના મોત બાદ જવાબદાર પોલીસ અધિકારી અને કમઁચારીઓ સામે પગલાં ન લેવાતાં સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે.

જો કે, ધરણાં કરે તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોને પોલીસે ડિટેઈન કરવાની શરૂઆત કરી છે. ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. જેના કારણે આદિવાસી સમાજ ભારે રોષમાં આવ્યો છે. આદિવાસી આગેવાનોને ત્યાં ગયેલી પોલીસને ગામ લોકોએ ભગાડ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ થયેલ આદિવાસી યુવાનોનાં કસ્ટોડીયલ ડેથને મામલે સતત વિરોધ થઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરાઈ રહી છે.

ધરણા ચાલુ રાખવા માટે ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજના લોકોને ચીખલી પહોંચવા અપીલ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરાયા છે. જો કે, ચીખલી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આદિવાસી સમાજ ચીખલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરશે. જેને લઇને ઠેર-ઠેર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.