એકબીજા વગર જીવી ન શકતી બે બહેનપણીઓ કરી આત્મહત્યા.. પોલીસ પણ વિચારમાં..

રાજકોટમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ રૈયાધારનાં શીતળા માતાજીના મંદિર પાસે પૂજા રમાવાત રહે છે. 17 વષીઁય પૂજાએ પોતાનાં ધરમાં જ ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેનાં પિતા મજૂરીકામ કરે છે..

ગઈ કાલે તે ધરે એકલી હતી ત્યારે રુમને અંદરથી બંધ કરીને તેણે તાળું લગાવ્યું હતું. અને ગળામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાધો હતો. ધરનાં દરવાજો તોડીને તપાસ કરતાં તે અંદર મૃત હાલતમાં મળી આવી હતી. પરંતુ આખરે એવું તો શું થયું કે તેણે આત્મહત્યા કરી.

પૂજાના આત્મહત્યા બન્યા બાદ એક બીજો બનાવ બન્યો હતો. મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસાસ જીવી નામની 20 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હતી. ગાંધીગ્રામ રામપીર ચોકડી પાસે પરિવાર સાથે રહેતી જીવી રવિભાઈ ધ્રાંગીયાએ ઢોર બાઁધવાના ઢાળીયામાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, જીવી અને પૂજા બંને પાક્કી બહેનપણીઓ હતી. બંને રૈયાધારમાં આવેલ એક દુકાનમાં ખજૂર પેકિંગનું કામ કરતી હતી.

બંને પાંચ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતી હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા હતી. પૂજાના આત્મહત્યાના સમાચાર જાણ્યા બાદ જીવી બહુ જ રડી હતી. તેના માતાપિતા તેને અર્ધબેભાન હાલતમાં ઘરે લઈ ગયા હતા. તેના માતાપિતાએ તેને ઘરે જઈને સાંત્વના પણ આપી હતી. પરંતુ મોડી રાત્રે જીવીએ પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યુ હતું.

ત્યારે સવાલ એ છે કે આખરે એવુ તો શુ થયું કે બંને બહેનપણીઓએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. પોલીસ પૂછપરછમાં એવી માહિતી પણ સામે આવી કે, જીવીના લગ્ન પડધરીના રંગપરાના યુવક સાથે બે વર્ષ પહેલા થયા હતા. આ દિવાળી બાદ તેનુ આણુ વાળવાનુ હતું, તે પહેલા જ પૂજાના વિયોગમાં જીવીએ મોત પસંદ કર્યુ હતુ. પોલીસ હાલ સૌથી પહેલા પૂજાના મોતનું કારણ જાણવા તપાસ કરી રહી છે, જેથી જીવીના મોતનું કારણ પણ સામે આવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.