ઉદ્ધવ કેબનિટનું આજે વિસ્તરણ, અજીત પવારને મળશે આ પદ, શિવસેના કરતાં NCPના મંત્રી હશે વધુ!

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડીનું પહેલું મંત્રીમંડળ વિસ્તરણ સોમવારના રોજ થઇ રહ્યું છે. શપથ ગ્રહણ સમારંભ માટે વિધાનભવનમાં ખાસ પંડાલ બનાવાયો છે. તેની સાથે જ અંદાજે 5000 લોકોને આમંત્રિત કરાયા છે. મંત્રીમંડળ વિસ્તરણ માટે ધારાસભ્યોના નામ ફાઇનલ કરવા માટે રવિવારના રોજ NCP અને કોંગ્રેસની ખાસ બેઠક થઇ. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ ખાસ દિલ્હી ગયા. ત્યાં NCP પ્રમુખ શરદ પવારે મુંબઇમાં પાર્ટી નેતાઓની સાથે બેઠક કરી.

દિલ્હીમાં બેઠક પૂરી થયા બાદ થોરાટે કહ્યું કે કોંગ્રેસે પોતાની યાદીમાં તમામ ક્ષેત્રો અને સમાજોના નેતાઓનું સંતુલન બનાવાની કોશિષ કરી છે. કોંગ્રેસની તરફથી 12 મંત્રી હશે જેમાંથી 10 કેબિનેટ મંત્રી હશે. બીજીબાજુ એનસીપી નેતા જયંત પાટિલે કહ્યું કે અમે અમારા મંત્રી બનનાર ધારાસભ્યોની યાદી મુખ્યમંત્રીને મોકલી દીધી છે. ગૃહમંત્રી કોણ હશે? તેના જવાબમાં જયંત પાટિલે કહ્યું કે મંત્રાલયોની વહેંચણી કરવી સીએમનો વિશેષાધિકાર છે.

આ હોઇ શકે છે સંભવિત મંત્રી

શિવસેનાની તરફથી અનિલ પરબ, પ્રતાપ સરનાઇક, રવિન્દ્ર વાયકર, સુનીલ રાઉત, ઉદય સામત, ભાસ્કર જાધવ કે વૈભવ નાઇક, આશિષ જયસ્વાલ કે સંજય રાયમુલકર, બચ્ચુકડુ, સંજય રાઠોડ, શંભુરાજે દેસાઇ, પ્રકાશ અબિટકર, સંજય શિરસાટ, અબ્દુલ સત્તાર, તાનાજી સાવંત, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સુહાસ કાંદેમાંથી સંભવિત મંત્રી હોઇ શકે છે.

કોંગ્રેસની તરફથી અશોક ચૌહાણ, અમિત દેશમુખ, કેસી પાડવી, વિજય વડેટ્ટીવાર, યશોમતિ ઠાકુર, વિશ્વજીત કદમ, સંગ્રામ થોપટે, વર્ષા ગાયકવાડ, અમીન પટેલ, પ્રણિતી શિંદે અને સતેજ પાટીલના નામ નક્કી મનાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.