ઉન્નાવ રેપ પીડિતાના પિતાની હત્યાના કેસમાં કુલદીપ સેંગરને 10 વર્ષની કેદ, 10 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હીઃ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા માટે આરોપી યુપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત સાત આરોપીઓને દિલ્હીની તીસ હજારી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત દરેક પાસેથી 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈ અતુલ સેંગર પર જે 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, આ રકમ પીડિત પરિવારને કોઈ પણ શરત વિના વળતર તરીકે આપવામાં આવશે.

આ પહેલા બુધવારે સજા પર ચર્ચા કરતી વખતે CBI અને પીડિત પક્ષે આરોપીઓ માટે કડક સજાની માંગ કરી હતી. જણાવી દઈએ કે મહત્તમ સજા હેઠળ ઉંમર કેદની જોગવાઈ છે, પરંતુ કોર્ટે 10 વર્ષની જ સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે કુલદીપ સિંહ સેંગરને દુષ્કર્મના કેસમાં કોર્ટે પહેલાથી જ સજા સંભાળી દીધી હતી, જેમાં તેને કુદરતી મોત સુધી જેલમાં રાખવામાં આવશે.

ન્યાયાધીશે કહ્યું હતું કે, દુષ્કર્મ પીડિતાના પિતાને સેંગરે પોલીસકર્મીઓની મદદથી ફસાવ્યા હતા. પીડિતા સાથે પણ ક્રુરતાથી મારઝુડ કરાઈ હતી. સીબીઆઈ એ સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી કે જ્યારે પીડિતાના પિતા સાથે મારઝુડ કરવામાં આવી તો કુલદીપ ફોન પર પોલીસકર્મીઓના સંપર્કમાં હતો. ત્યારબાદ પીડિત વિરુદ્ધ ગેરકાયદે હથિયારનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ દરમિયાન સેંગર ડોક્ટરોના સંપર્કમાં હતો. ઘાયલને હોસ્પિટલમાં રાખવાની જગ્યાએ કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવાયો અને ચાર દિવસ બાદ તેમનું મોત થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.