UP: કોરોના સંકટમાં વધુ એક રેકોર્ડ, સીએમ યોગી આદિત્યનાથ આપશે 1 કરોડ લોકોને રોજગાર

 

યુપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રવાસી મજૂરોના હિતમાં વધુ એક પગલુ ઉઠાવીને રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. સીએમ યોગી 26 જૂને એક સાથે 1 કરોડ લોકોને રોજગાર આપશે. ઉત્તર પ્રદેશ સરકારના આ કાર્યક્રમમા પીએમ મોદી પણ હાજર રહેશે. તેઓ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થશે. કાર્યક્રમમાં ના માત્ર પ્રવાસી મજૂરોને રોજગાર મળશે પરંતુ MSME માટે લોન પણ આપવામાં આવશે. આ રીતે યુપી દેશમાં આટલી મોટી સંખ્યામાં રોજગાર આપનારૂ દેશનું પહેલુ રાજ્ય બની શકશે.

સરકારે કરી છે પ્રવાસી શ્રમિકોની સ્કિલ મેપિંગ

પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકોની વાપસી થઈ છે. કોરોના સંકટ દરમિયાન આવેલા 36 લાખ પ્રવાસી મજૂરોના સ્કિલ મેપિંગનો પૂરો ડેટા બેન્ક સરકારે તૈયાર કરી દીધો છે. અત્યાર સુધી યોગી સરકાર મોટી સંખ્યામાં રોજગાર ઉપલબ્ધ કરાવી ચૂકી છે. આ આંકડો 26 જૂને 1 કરોડથી વધારે થઈ જશે. યોગી સરકાર આ શ્રમિકો અને કામગારોને MSME, એક્સપ્રેસ વે, હાઈવે, યુપીડા અને મનરેગા જેવા સેકટર્સમાં મોટા પાયા પર રોજગાર આપી રહી છે. ઉત્તર પ્રદેશના 31 જિલ્લાને આ મોટા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે.

પ્રદેશમાં આ 31 જિલ્લા થશે સામેલ

આ રોજગાર અભિયાનથી પ્રદેશમાં ગોંડા, બલરામપુર, આંબેડકર નગર, અમેઠી, અયોધ્યા, આઝમગઢ, બહરાઈચ, બાંદા, બસ્તી, દેવરિયા, ફતેહપુર, ગાઝીપુર, ગોરખપુર, હરદોઈ, જાલોન, જોનપુર, કૌશાંબી, ખીરી, કુશીનગર, મહરાજગંજ, મિર્ઝાપુર, પ્રતાપગઢ

પ્રયાગરાજ, રાયબરેલી, સંતકબીર નગર, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, સીતાપુર, સુલ્તાનપુર, ઉન્નાવ અને વારાણસી જિલ્લાને જોડવામાં આવશે.

પ્રદેશમાં કરવામાં આવ્યુ છે રોજગાર સૃજન

પ્રવાસીઓની વાપસી અને કોરોના સંકટ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને રોજગાર અને પુનર્વાસની તૈયારીના નિર્દેશ આપ્યા હતા. જે બાદ કેટલીક કંપનીઓએ સરકારના ડેટા બેન્કથી સ્કિલ્ડ શ્રમિકોની માગ કરી હતી. તાજેતરમાં જ નોઈડાથી ગારમેન્ટસ યુનિટ્સે સરકારને 3 લાખથી અધિક વર્કસની માગ કરી છે. MSME સેક્ટરને માગ અનુસાર માગના અનુરૂપ સ્કિલ્ડ વર્કર્સની યાદી પણ આપવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.