યુપીમાં અજીબોગરીબ કિસ્સો,વરરાજાને 2નો ઘડિયો ન આવડ્યો,દુલ્હને લગ્ન કરવાની ના પાડી

યુપીમાં દુલ્હને જાન પાછી કાઢી હતી અને લગ્ન તૂટી ગયા હતા.

વરરાજા સાંજે જાન લઇને પહોંચ્યો હતો અને દુલ્હનને ક્યાંકથી જાણ થઇ કે વરરાજા ભણેલો નથી. જેટલુ તેના વિશે કહેવામાં આવ્યુ હતુ અને લગ્ન પહેલા દુલ્હને ટેસ્ટ લેવાનુ નક્કી કર્યુ હતુ.

જ્યારે વરમાલાનો સમય આવ્યો ત્યારે દુલ્હને દુલ્હાને 2નો ઘડિયો સંભળાવવા કહ્યુ હતુ. આવી અજીબ માગ સાંભળીને વરરાજા ચોંકી ગયો હતો પરંતુ જ્યારે દુલ્હને ફરી કહ્યું ત્યારે વરરાજા ના ન પાડી શક્યો હતો

વરરાજા મહોબા જિલ્લાના ધવાર ગામનો રહેવાસી હતી. બંને પરિવારના સદસ્ય અને ગામના લોકો એકત્ર થયા હતા પરંતુ 2નો ઘડિયો ન સંભળાવવા પર નારાજ થયેલી દુલ્હને લગ્ન તોડી નાંખ્યા હતા. દુલ્હને કહ્યું કે તે કોઇ એવા વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે જેને ગણિતની સામાન્ય જ્ઞાન ન હોય તેની સાથતે લગ્ન ન કરી શકાય.

દુલ્હનના પિતરાઇએ કહ્યું કે, તે આ જાણીને ચોંકી ગયો હતો કે વરરાજા આટલો અશિક્ષીત છે. અમને તેની શિક્ષા વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા. તે કદાચ સ્કુલ પણ નથી ગયો અને મારી બહેને લગ્ન કરવાની ના પાડી હતી. સોશ્યલ ટેબુથી તે ડરી નહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.