વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ, ધોરણ 6થી 8ના શિક્ષક 1 વર્ષથી ગેરહાજર..

બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ભૂતિયા શિક્ષકોના ખુલાસા થઇ રહ્યા છે, ત્યારે અંબાજીમાં ભણાવતા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ બાદ  જ્યાં સમગ્ર મામલે વિગતો મેળવી હતી ત્યારે જણાવા મળ્યું હતું કે, દાંતા તાલુકાના મગવાસ ગામના ધોરણ 6થી 8ના શિક્ષક 1 વર્ષથી ગેરહાજર છે.

બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ભૂતિયા શિક્ષકોના ખુલાસા થઇ રહ્યા છે, ત્યારે અંબાજીમાં ભણાવતા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ બાદ VTV NEWS મગવાસ ગામ પહોંચ્યું હતું અને જ્યાં સમગ્ર મામલે વિગતો મેળવી હતી ત્યારે જણાવા મળ્યું હતું કે, દાંતા તાલુકાના મગવાસ ગામના ધોરણ 6થી 8ના શિક્ષક 1 વર્ષથી ગેરહાજર છે.

છેલ્લા 1 વર્ષથી ગેરહાજર હતા

અત્રે જણાવીએ કે, મગવાસ ગામમાં ગણિત અને વિજ્ઞાન વિષયના મુખ્ય શિક્ષક જ શાળામાંથી 1 વર્ષથી ગેરહાજર હતા. છેલ્લા 1 વર્ષથી સતત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહોતી કરાઈ તેવી પણ ચર્ચા છે. MLA કાંતિભાઈ ખરાડીને અરજી કરતા માત્ર આશ્વાસન મળ્યું હતું.

3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકો ઝડપાયા

બનાસકાંઠામાં 3 વર્ષમાં 33 જેટલા ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયાનો ખુલાસો થયો છે. જ્યારે 6 ભૂતિયા શિક્ષકો સામે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વિદેશ હોવા છતાં શિક્ષકોની શાળામાં હાજરી બોલતી હોય તેવા 6 ભૂતિયા શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ અપાઇ છે. જિલ્લામાં અનેક શિક્ષકો એવા પણ છે જેઓ વિદેશ છે. જેથી શાળામાં હાજરી બોલી રહી છે. રાજીનામું આપવા માટે શિક્ષણ વિભાગ સામે ફરજિયાત હાજર રહેવું પડે છે. સમગ્ર પ્રક્રિયા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શિક્ષણ વિભાગના 2006ના ઠરાવ પ્રમાણે શિક્ષકો હાજર ન હોય તો સીધી કાર્યવાહી થઇ શકતી નથી. જેથી રાજીનામા માટે પણ શિક્ષકોનું હાજર રહેવું ફરિયાત હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.