વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહેકી ઉઠી માનવતા,દવા લેવા આવેલો દર્દી બેભાન થઈ ગયો હતો

દવા લેવા આવેલો દર્દી બેભાન થઈ ગયો હતો અને બેભાન દર્દીને CPR પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દીનો જીવ બચાવતા સંચાલક પણ કોરોનાગ્રસ્ત થયા હતા એટલું જ નહીં પણ અન્ય બે મેડિકલ કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

જનઔષધિ કેન્દ્રના સંચાલકે જીવના જોખમે કોરોનાગ્રસ્તનો જીવ બચાવ્યો. બાદમાં પોતે પણ કોરોનાગ્રસ્ત થયા. તેમણે કહ્યું- ‘કોરોના તો કાલે મટી જશે, માનવતા રહેવી જોઈએ’

વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.