Vastu For Kitchen: ઘરના રસોડામાં રાખેલી આ વસ્તુઓ લાવે છે ગરીબી, હમણાં જ કાઢી નાખો

Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને રસોડામાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. તો ચાલો જાણીએ કે રસોડામાં શું રાખવું જોઈએ અને શું નહિ…

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના દરેક ભાગનું એક ખાસ મહત્વ હોય છે. એ જ રીતે વાસ્તુમાં કિચનને પણ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. વાસ્તુમાં અમુક એવી વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે, જેને કિચનમાં રાખવાથી નકારાત્મકતા ફેલાય છે અને બરકત આવતી નથી. સાથે જ અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે એ વસ્તુઓ કઈ છે, જેને આજ જ કિચનમાંથી બહાર કાઢી નાખવી જોઈએ, જેથી ઘરમાં સકારાત્મકતા આવશે.

વાસ્તુનું માનીએ તો રસોઈ ઘરમાં સુકાયેલા છોડ ન રાખવા જોઈએ. આનાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. એવામાં જો કિચનમાં છોડ છે તો તાત્કાલિક હટાવી દો અને લીલા છોડ મૂકી દો.

ખાલી બોક્સ ન રાખો

ઘણા લોકોને રસોડામાં ડબ્બા ખાલી થયા પછી પણ તેને છોડી દેવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ખાલી બોક્સ ઘરમાં નકારાત્મકતા વધારે છે. આવી સ્થિતિમાં, જો તમારા રસોડામાં ખાલી વાસણો અથવા કન્ટેનર હોય, તો તમારે તેને ફરીથી  જોઈએ અથવા તેને દૂર કરવું જોઈએ.

ધાર વગરના ચપ્પુ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા રસોડામાં એવા ચપ્પુઓ છે જેની ધાર ખરાબ થઇ ગઈ હોય તો તેને પણ શુભ માનવામાં આવતું નથી. જો છરીઓ તેની તીક્ષ્ણતા ગુમાવે છે, તો તેનો ફરીથી ઉપયોગ કરશો નહીં, તેને દૂર કરો. તમે તેને ફરીથી તીક્ષ્ણ પણ કરાવી શકો છો અને રાખી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.